- MDR ટી.બી. સારવાર માટે સમયાંતરે જારી કરવામાં આવતા સુધારાથી હોસ્પિ.ને વાકેફ કરી તબીબોને અપાતી તાલીમ - હઠીલા ટી.બી.ના લક્ષણ,સારવાર અને સાવધાની અંગે તબીબોએ આપી માહિતી ટીબી.ને નાથવા અનેક દવાઓ ઉપલબ્ધ છે,પરંતુ આ દવાઓ જ્યારે ક્ષય રોગના જંતુઓ ઉપર પ્રભાવહીન બની જાય ત્યારે ટી.બી.માત્ર ટી.બી. જ નહીં પણ "હઠીલો" ટી.બી.નો રોગ બની જાય છે.મેડિકલ ભાષામાં... Continue Reading →
મુન્દ્રા પેટ્રોકેમિકલ અને અદાણી ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ વેટલેન્ડ દિવસ ની ઉજવણી
પર્યાવરણ ,પ્રકૃતિ અને જીવસૃષ્ટિ એકબીજા સાથે અતિસૂક્ષ્મ કડી થી જોડાયેલ છે જેના સંતુલન અને અસ્તિત્વ માટે પૃથ્વી પરના વિવિધ પ્રકારના પ્રદેશો જેવા કે જંગલો ,પર્વતો ,સમુદ્ર ,અને વેટલેન્ડ નું જતન કરવું ખુબ જ જરુરી છે ,જેમાં વેટલેન્ડ ની ખુબ જ મહત્વ ની ભૂમિકા રહેલી છે. વેટલેન્ડ એટલે પૃથ્વી ઉપર નો એવો વિસ્તાર કે જ્યાં... Continue Reading →
અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો
- ઉમદા ડોકટર જરૂર બનજો પણ સારા માનવી પણ બનજો - દિક્ષાંત સમારંભમાં કચ્છ યુનિ.ના ઉપ કુલપતિનું ઉદબોધન અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના તબીબી વિદ્યાર્થીઓએ તેમનો નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો હતો. ભારતની પ્રાચીન ચિકિત્સા પધ્ધતિના પ્રણેતા મહર્ષિ ચરક ના નામે નવોદિત મેડિકલ ગ્રેજ્યુએટસને કર્તવ્યના શપથ લેવડાવાયા હતા.... Continue Reading →
અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા LNG ઇંધણથી ચાલતું ક્રૂડ ઓઇલ ટેન્કર લાંગરવામાં આવ્યું
અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા સૌપ્રથમ વાર LNG ઇંધણ થી ચાલતું Aframax ક્રૂડ ઓઇલ ટેન્કર જહાજ પોર્ટની SPM (સિંગલ પોઇન્ટ મૂરિંગ) ફેસિલિટી ખાતે લાંગરવામાં આવ્યું. આ જહાજ 14 મીટર ડ્રાફ્ટ સાથેનું કુલ 1,26,810 મેટ્રિક ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે. પરંપરાગત જૈવિક ઇંધણથી ચાલતા જહાજ કરતા LNG ઇંધણનો વપરાશ કરતા આ પ્રકારના જહાજ વાયુ પ્રદુષણ નહિવત કરે છે... Continue Reading →
અદાણી ફાઉન્ડેશન, આત્મા અને ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે તાલીમ
- આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023ને સુસંગત કાર્યક્રમનું સફળ આયોજન અદાણી ફાઉન્ડેશન, આત્મા અને જિલ્લા ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે મુંદ્રા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો. 2023ની આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી મબલખ કમાણી કરે અને લોકોને પોષકતત્વો સભર ખોરાક મળી રહે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ... Continue Reading →
ફક્ત ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલી.મેટ્રીક ટનકાર્ગોનું વોલ્યુમ વટાવતું અદાણી પોર્ટ્સ
- ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટીએ ગયા વર્ષના૩૫૪ દિવસના પોતાના જ સીમા ચિહ્નને પાછળ છોડ્યું ભારતની સૌથી મોટી સંકલિત ટ્રાન્સપોર્ટ યુટીલીટી અને વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પ અદાણી સમૂહનો એક ભાગ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ માત્ર ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહનનો આંક વટાવીને એક નવું સીમાચિહ્ન... Continue Reading →
દેશમાં અત્યાર સુધીનાં સૌથી ઊંડાં જહાજ MSC વોશિંગ્ટનને મુંદ્રા સ્થિત અદાણી બંદરે લાંગરવામાં આવ્યું
- અદાણી પોર્ટસ, મુંદ્રાએ ભારતના શીપીંગ બિઝનેસને ગૌરવ અપાવ્યું ભારતીય પોર્ટ્સની દુનિયામાં 12મી ફેબ્રુઆરી 2023ના રોજ ગૌરવપ્રદ ઘટના બની છે. મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે MSC વોશિંગ્ટનને બર્થ કરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ કરી છે. એટલું જ નહી,... Continue Reading →
અદાણી ફાઉ. દ્વારા મુંદ્રામાં પશુધનની સુરક્ષા માટે પશુ આરોગ્ય કેમ્પનું આયોજન
- 20,000 પશુઓને તંદુરસ્ત અને નિરોગી રાખવા અનોખી પહેલ અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપર લિમિટેડના સહયોગથી મુંદ્રામાં પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના દ્વારા પશુઓને રસીકરણ તથા ઉપયોગી સારંવાર કરવામા આવી રહી છે. મુંદ્રા તાલુકાના 2૦,૦૦૦ જેટલા પશુઓને તંદુરસ્ત અને નિરોગી રાખવાના આ પહેલ કરવામાં આવી છે. પશુપાલકોની સુવિધા... Continue Reading →
અદાણી જી.કે.જન. હોસ્પિ.ના મેડિસિન વિભાગે સાવચેતીની આપી સલાહ
- બદલતા વાતાવરણમાં શરદી,ખાંસી ઉપરાંત સ્વાઇન્ફ્લ્યુથી પણ સાવધાની - કફ સીરપ તબીબની સલાહ સિવાય ના લેવા માર્ગદર્શન વાતાવરણમાં થોડું પણ તાપમાન વધે એ સાથે ગરમ કપડાં હડસેલી દેવામાં આવે છે, પરંતુ આ અસાવધાની સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી કારણ કે ઠંડી સંપૂર્ણપણે દૂર થઇ ન હોવાથી શરદી, ખાંસી સાથે વાયરલ ઉપરાંત સ્વાઇનફ્લૂ પણ દેખાતો હોવાથી બદલાતા... Continue Reading →
જી.કે. જન. અદાણી હોસ્પિ. માં વીતેલા માસમાં બ્લડ બેંક અને ૯ કેમ્પ દ્વારા ૭૫૦ બોટલ રક્ત ભેગુ કરાયું
- એકત્રિત લોહી પ્રસૂતા માટે સંજીવની સમાન અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં વીતેલા જાન્યુ.માસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી લોહીની બોટલ ખાસ કરીને પ્રસુતા માતાઓ માટે સંજીવની પુરવાર થઈ હતી. ઉપરાંત શસ્ત્રક્રિયા,ઇમરજન્સી અને થેલેસેમીયાના દર્દીઓ માટે પણ બોટલ ઉપયોગી બની હતી. હોસ્પિટલની બ્લડબેંકના હેડ ડૉ.જીજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,હોસ્પિટલમાં જુદા જુદા દર્દીઓ માટે જરૂર પડતા લોહીનો જથ્થો... Continue Reading →