– નકલી બિયારણની ખરીદી કર્યા બાદ પાક નિષ્ફળ જાય એટલે બીજી વખત બિયારણ ખરીદવાની ફરજ પડે છે
કચ્છ જિલ્લામાં નકલી બિયારણના વેપલા સામે કાર્યવાહી કરવામાં તંત્ર કુંભકર્ણી નિંદ્રામાં પોઢી રહ્યું છે. વાવેતરનો સમય થાય એટલે બિયારણના વિક્રેતાઓ દ્વારા નકલી બિયારણ ખેડૂતોને પાધરાવી દેવામાં આવે છે પરિણામે પાક નિષ્ફળ જતો હોય છે. કચ્છમાં પણ ચોક્કસ લોકો નકલી બિયારણ વેંચી રહ્યા છે. પરિણામે, સાચા વિક્રેતાઓને ભોગવવાનો વખત આવતો હોય છે. નકલી બિયારણની ખરીદી કર્યા બાદ પાક નિષ્ફળ જાય એટલે બીજી વખત બિયારણ ખરીદવાની ફરજ પડે છે. પરિણામે, કચ્છના ખેડૂતોને નુકશાની વેઠવી પડતી હોય છે.
કચ્છના અમુક ગામ શહેરોમાં આવેલ મોટાભાગના એગ્રોના દુકાનદારો બિયારણનું બિલ પણ આપતાં નાથી. જેના કારણે નકલી બિયારણ વેચનાર હાથ અઘૃધર કરી બચી જતા હોય છે. ત્યારે ખેતીવાડી ખાતાના અિધકારીઓ દ્વારા એગ્રોની દુકાનોમાં બિયારણની ઓચિંતી તપાસ કરવામાં આવે તેવી માંગ છે. કચ્છ જિલ્લામા ખેડૂતો વાવેતર માટે બિયારણની ખરીદી કરતા હોય છે. પરંતુ ઘણી વખત બિયારણ નકલી નીકળતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવે છે. ત્યારે ખેડૂતો છેતરપીંડીથી બચે તે માટે લાયસન્સ ધારકો પાસેાથી જ બિયારણની ખરીદી કરવી જોઈએ.
ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી આૃથવા પેકેટ જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને પજી જેવા જુદાં-જુદાં નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં.
આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ઘ્યાને આવે તો તાત્કાલિક સંબંિધત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર આૃથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ-થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવું જરુરી છે.
લાયસન્સ ધારકો પાસેથી જ બિયારણની ખરીદી કરવી જોઈએ
ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અિધકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસૃથાઓ આૃથવા ખાનગી વિક્રેતા પાસેાથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેાથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેમજ તેની મુદ્દત પૂરી થઈ નાથી તે બાબતે ખાસ ચકાસણી કરવી. મુદ્દત પૂરી થયેલી હોય તેવાં બિયારણની ખરીદી ક્યારેય કરવી નહીં.
Leave a Reply