– જયશંકરની યુરોપિયન ‘માઇન્ડસેટ’ અંગેની વાયરલ ટિપ્પણી પર જર્મન ચાન્સેલર પણ થયા સંમત
– આપણે મૂળભૂત શરત તરીકે આ દેશોના હિત અને ચિંતાઓને સંયુક્ત રીતે સંબોધિત કરવી પડશે: જર્મન ચાન્સેલર
ગત વર્ષે સ્લોવાકિયામાં ગ્લોબસેક બ્રાતિસ્લાવા ફોરમની 17મી આવૃત્તિ દરમિયાન એસ. જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના વલણ અંગેના પ્રશ્નનો કડક જવાબ આપતા યુરોપ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, યુરોપે એ માનસિકતામાંથી બહાર આવવું પડશે કે તેની સમસ્યાઓ વિશ્વની સમસ્યાઓ છે, પરંતુ તેને વિશ્વની સમસ્યાઓ સાથે કોઈ લેવા-દેવા નથી.
મળતા અહેવાલ મુજબ, જર્મન ચાન્સેલરે થોડા સમય પહેલા એક સુરક્ષા પરિષદ દરમિયાન વિદેશમંત્રી એસ.જયશંકરના નિવેદનના સંદર્ભમાં કહ્યું કે, એસ. જયશંકરે એક મહત્વપૂર્ણ વાત કહી હતી. સ્કોલ્ઝે કહ્યું, ‘ભારતીય વિદેશમંત્રીનું આ નિવેદન આ વર્ષના મ્યુનિખ સુરક્ષા રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યું છે અને તેમણે આ એક મહત્વપૂર્ણ વાત કહી છે કે, જો આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સૌથી મજબૂત કાયદા પર ભાર મૂકવામાં આવે તો તે માત્ર યુરોપની સમસ્યા નહીં હોય.
જર્મન ચાન્સેલરે કહ્યું કે, ‘આપણે મૂળભૂત શરત તરીકે આ દેશોના હિત અને ચિંતાઓને સંયુક્ત રીતે સંબોધિત કરવી પડશે. અમે ખરેખર આ દેશોની સાથે મળીને કામ કરવા માગીએ છીએ જેથી તેઓ રશિયા-યુક્રેન યુદ્ધ, ક્લાઈમેટ ચેન્જ અને કોવિડ-19ના કારણે વધતી જતી ગરીબી અને ભૂખમરાનો મજબૂત રીતે સામનો કરી શકે.
Leave a Reply