– IT કંપનીઓ તેમની આવકનો બે તૃતીયાંશ હિસ્સો પગાર પર ખર્ચે છે
આઈટી કંપનીઓએ આવકનો બે તૃતીયાંશ હિસ્સો માત્ર પગાર અને ભથ્થાં પાછળ ખર્ચવો પડે છે. આ જ કારણ છે કે છેલ્લા પાંચ વર્ષમાં આઈટી સેક્ટરનો બિઝનેસ જે ઝડપે વધ્યો છે પરંતુ તેની સામે કંપનીઓનો નફો તે ગતિએ વધ્યો નથી. નાણાકીય વર્ષ 2021-22 માં IT કંપનીઓએ કુલ આવકના 62% કર્મચારીઓના પગાર પર ખર્ચ કર્યા હતા.
આ સમયગાળા દરમિયાન કંપનીઓએ કુલ રૂ. 5.5 લાખ કરોડની કમાણી કરી હતી જેમાંથી આશરે રૂ. 3 લાખ કરોડ પગાર પાછળ ખર્ચવામાં આવ્યા હતા. નાસ્કોમના ડેટા અનુસાર છેલ્લા 5 વર્ષમાં આઇટી કંપનીઓની કુલ આવક 22 લાખ કરોડ રૂપિયા હતી. તેમાંથી 12 લાખ કરોડ રૂપિયા કર્મચારીઓના પગાર અને ભથ્થામાં ખર્ચવામાં આવ્યા હતા. BFSI સેક્ટર આવક-વેતન રેશિયોની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. આ ક્ષેત્રની કંપનીઓએ કમાયેલા દર 10 રૂપિયામાંથી 5 રૂપિયા (50%) પગાર અને ભથ્થાં પર ખર્ચ્યા છે.
કર્મચારીના ખર્ચમાં 8 વર્ષમાં સૌથી ઝડપી વધારો
2021-22માં દેશની ટોચની 500 કંપનીઓએ કર્મચારીઓ પર કુલ રૂ. 10.80 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો. છેલ્લા 8 વર્ષમાં આ સૌથી વધુ વધારો છે. જેના કારણે આ કંપનીઓના સેલરી પેકેજ પહેલીવાર 10 લાખ કરોડને ક્રોસ થયું.
Leave a Reply