સરકારે ઘઉંની નિકાસ પર મૂકેલા પ્રતિબંધ હળવા કર્યા

કેન્દ્ર સરકારે ગત સપ્તાહે ઘઉંની નિકાસ પણ એકાએક સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યા બાદ આજે મંગળવારે થોડીક છુટછાટ આપવાની ઘોષણા કરી છે.

કેન્દ્ર સરકારે આ મામલે નિકાસકારોને થોડીક રાહત આપતા જણાવ્યુ કે, ઘઉંના કન્સાઇન્મેન્ટની તપાસ ક્સટમ ડ્યૂટીને સોંપવામાં આવી છે અને 13 મે કે તેની પહેલા વિભાગની સિસ્ટમમાં જેમના કન્સાઇન્મેન્ટની નોંધણી થઇ ચૂકી છે, તેમને નિકાસની મંજૂરી અપાશે.

ભારત સરકારે ઇજિપ્ત તરફ જનાર ઘઉંના કન્સાઇન્મેન્ટને મંજૂરી આપી છે, જે પહેલાંથી જ કંડલા બંદરે લોડ થયેલા છે. હકીકતમાં તેની પહેલા જ ઇજિપ્તની સરકારે કંડલા બંદર પર લોડ થઇ રહેલા ઘઉંની નિકાસની મંજૂરી આપવા ભારત સરકારને વિનંતી કરી હતી. સરકારે એક નિવેદનમાં જણાવ્યુ કે, ઇજિપ્તને ઘઉંની નિકાસમાં કરવામાં વ્યસ્ત કંપનીએ 61,500 ટન ઘઉંનુ લોડિંગ પુરું કરવા વિનંતી કરી હતી, જેમાંથી 44,430 ટન ઘઉં પહેલા જ લોડ કરી દેવાયો હતો અને માત્ર 17,160 ટન માલ લોડ કરવાનો બાકી હતો. સરકારે 61,500 ટનની સંપૂર્ણ શિપમેન્ટને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે અને તેને કંડલા બંદરેથી ઇજિપ્ત માટે રવાના કરાશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: