અખાત્રીજે દેશમાં ₹15,000 કરોડના દાગીના વેચાયા

કોરોના મહામારીના બે વર્ષ બાદ અખા ત્રીજે દેશભરના સોના-ચાંદીના બજારમાં જોવા મળી છે. એક પ્રાથમિક અંદાજ મુજબ દેશમાં આજે લગભગ રૂ. 15,000 કરોડની મૂલ્યના સોના-ચાંદીના દાગીનાનું વેચાણ થયુ છે.

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને લોકડાઉનને કારણે જ્વેલર્સની દુકાનો બંધ રહેતા અખાત્રીજના દિવસે સોના-ચાંદીના દાગીના કે સિક્કાની ખરીદ-વેચાણ થઇ શક્યુ ન હતુ, પરંતુ આ વખતે કોઇ પ્રકારના પ્રતિબંધો ન હોવાથી જ્વેલર્સની દુકાન સોના-ચાંદીના બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના મંત્રીએ જણાવ્યુ કે, બે વર્ષ બાદ અખાત્રીજના દિવસે દેશભરમાં સોના-ચાંદીનું લગભગ રૂ. 15,000 કરોડનો વેપાર થયો છે. આજે અમદાવાદમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 52,900 અને ચાંદીનો ભાવ પ્રતિ કિગ્રા રૂ. 64,500 હતો, જે તેના ઓગસ્ટ 2020ના ઐતિહાસિક ઉંચા ભાવથી નીચા છે.

ત્રણ વર્ષ પહેલા વર્ષ 2019માં અખાત્રીજના દિવસે સોના-ચાંદીની કિંમતમાં મોટો તફાવત ન હતો. ત્યારે સોનું રૂ. 32,700 અને ચાંદી રૂ. 38,550 હતા. જો કે હાલ સોનાની કિંમત રૂ. 53,000 અ ચાંદી રૂ. 65,000ની આસપાસ છે. તે વર્ષે દેશભરમાં અખાત્રીજના દિવસે રૂ. 10,000 કરોડનો વેપાર થયો હતો ત્યારબાદના બે વર્ષમાં કોરોના મહામારી- લોકડાઉનના કારણે માંડ પાંચ ટકા જેટલો જ વેપાર થઇ શક્યો હતો.    

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: