– ચેન્નઈ અને કોલકાતા વચ્ચે પહેલી મેચ, બંને ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ આ વર્ષે ટૂર્નામેન્ટની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે. તમને જણાવી દઈએ કે આ બંને ટીમ વચ્ચે 2021ની ટાઈટલ મેચ રમાઈ હતી જેને કેપ્ટન કૂલની ટીમ CSKએ જીતી લીધી હતી. બંને ટીમમાં વિદેશી ખેલાડી શરૂઆતની કેટલીક મેચ નહીં રમી શકતા હોવાથી ટીમ કોમ્બિનેશન બનાવવું કેપ્ટનના હાથમાં રહેશે. તો વળી બીજી બાજુ બંને ટીમની કમાન નવા કેપ્ટનના હાથમાં રહેશે. જોકે આ સિઝનમાં પણ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરાયું નથી.
પિચ રિપોર્ટઃ
મુંબઈના વાનખેડેની પિચ ફાસ્ટ બોલર્સ ફ્રેન્ડલી રહેશે. જેમાં શરૂઆતની કેટલીક ઓવર્સ બેટરને ગ્રાસ ટોપ વિકેટ મુશ્કેલીમાં મુકી શકે છે. જોકે ત્યારપછી બંને ટીમના ફિનિશર ગેમમાં આવતા મેચ રોમાંચક થઈ શકે છે. વળી આ મેદાન પર ટોસ જીતી કેપ્ટન પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લઈ શકે છે.
બંને ટીમ નવા કેપ્ટન સાથે શરૂઆત
મહેન્દ્ર સિંહ ધોનીએ IPLની શરૂઆત પહેલા કેપ્ટનશિપ છોડી દીધી છે. હવે ચેન્નઈની કમાન વર્લ્ડના નંબર-1 ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સોંપવામાં આવી છે. તો બીજી બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સની કમાન હવે શ્રેયસ અય્યરને મળી છે. જોકે શ્રેયસે આની પહેલા દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી છે, તેથી કોલકાતા અને ચેન્નઈના ભવિષ્યને જોતા બંને ટીમ માટે આ મેચ મહત્ત્વપૂર્ણ રહેશે.
ઓપનિંગ સેરેમની રદ થવાનું કારણ
IPLની 12મી સિઝનના લગભગ દોઢ મહિના પહેલા એટલે કે 14 ફેબ્રુઆરી 2019ના દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો, જેમાં કુલ 40 ભારતીય જવાનો શહીદ થયા હતા. તે જ સમયે, આ શહીદોના સન્માનમાં IPLની ઓપનિંગ સેરેમની રદ કરવામાં આવી હતી. વળી ત્યારપછી આ સેરેમનીમાં વધારે પડતા રૂપિયાનો વપરાશ થતો જોઈને BCCIએ તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો. તમને જણાવી દઈએ કે IPLની છેલ્લી ઓપનિંગ સેરેમની વર્ષ 2019માં યોજાઈ હતી.
તે જ સમયે, વર્ષ 2020 અને 2021મા કોરોના મહામારીના કારણે, ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું નહોતું. તે જ સમયે, હવે આ સીઝનમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કર્ટેન રેઝર ઈવેન્ટ (આઈપીએલ 2022 ઓપનિંગ સેરેમની અપડેટ) ચોક્કસપણે આયોજિત કરવામાં આવશે, પરંતુ BCCIએ આનું આયોજન કરવાની ના પાડી દીધી છે.
BCCIએ ઓપનિંગ સેરેમની સામે સંપૂર્ણપણે રોક લગાવી
તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં IPLની ઓપનિંગ સેરેમનીને લઈને BCCIએ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલને કહ્યું હતું કે આ રૂપિયાની બરબાદી છે. તે જ સમયે, BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે ફેન્સને ઓપનિંગ સેરેમનીમાં રસ નથી. વળી આ માટે બોર્ડે તેમાં પરફોર્મ કરનારા સ્ટાર્સને તગડી રકમ ચૂકવવી પડે છે. આવી સ્થિતિમાં, ઓપનિંર સેરેમનીના કારણે બોર્ડનું બજેટ બગડી જતા એને સંપૂર્ણ રીતે રદ કરવાની યોજના બનાવી લીધી હતી.
Leave a Reply